લખાણ પર જાઓ

આય એ ઇસરા

વિકિ શિયામાંથી
આય એ ઇસરા

ઇસરા આયત (અરબી: آیه إسراء) સૂર એ ઇસરાની પહેલી આયત છે જે પયગંબરના મેરાજ વિશે અવતરિત (નાઝિલ) થઈ છે. આ આયત મુજબ, પયગંબર (સ.અ) રાત્રિના સમયે સૌપ્રથમ મસજિદુલ હરામથી મસજિદ અલ-અક્સા સુધી લઈ જવામાં આવ્યા અને તે પછી મેરાજ પર ચડ્યા. મેરાજની મુસાફરીનો ઉદ્દેશ્ય પયગંબર (સ.અ)ને અલ્લાહની નિશાનીઓની મહાનતા બતાવવાનો હતો. કેટલાક વ્યાખ્યાકારોએ આ આયતમાંથી પયગંબરના મેરાજની શારીરિકતા અને તેના મોજિઝા હોવાનો અર્થ લીધો છે, જ્યારે અન્યોનો માનવો છે કે પયગંબરની મુસાફરી મસજિદ અલ-અક્સા સુધી શારીરિક હતી અને મેરાજ પર તેમનો ચડવો આધ્યાત્મિક હતો.

પરિચય

સૂર એ ઇસરાની પહેલી આયત, જેમાં પયગંબર (સ.અ)ની મસજિદુલ હરામથી મસજિદ અલ-અક્સા સુધીની યાત્રાનો ઉલ્લેખ છે, તેને ઇસરા આયત કહેવામાં આવે છે.[]

શાને-નુઝૂલ (અવતરણનું કારણ)

મુખ્ય લેખ: મેરાજ

આ આયત મક્કાથી બૈતુલ મુકદ્દસ (યેરુશલેમ) સ્થિત મસજિદ અલ-અક્સા સુધી પયગંબર (સ.અ)ની યાત્રા વિશે અવતરિત થઈ છે.[] છઠ્ઠી હિજરી સદીના મુફસ્સિર શૈખ તબરસીના કથન મુજબ, જ્યારે પયગંબર (સ.અ)એ મસજિદુલ હરામમાં મગરિબ અને ઇશાની નમાઝ પઢી, ત્યાર પછી તેમની મેરાજ શરૂ થઇ અને તે જ રાતે તેઓ પાછા ફર્યા અને સુબહની નમાઝ પણ મસજિદુલ હરામમાં જ પઢી. આ વિષય પર બધા મુસલમાનો એકમત છે અને ઇબ્ને અબ્બાસ, ઇબ્ને મસઊદ, જાબિર બિન અબ્દુલ્લાહ અને હુઝૈફા જેવા કેટલાક સહાબાએ પણ આનો ઉલ્લેખ કર્યો છે.[]

વ્યાખ્યાકારોએ આ આયત હેઠળ પયગંબરના મેરાજની મુસાફરીના સમય, સ્થળ અને રીત જેવી વિગતો પર ચર્ચા કરી છે.[]

મેરાજના મોજિઝા હોવા પર આયતની સાબિતી

કેટલાક વ્યાખ્યાકારોએ ઇસરા આયતને પયગંબર (સ.અ.વ.)ના મોજિઝામાંથી એક તરીકે ઓળખાવી છે.[] જાફર સુબ્હાનીએ તેમની તફસીર 'મંશૂરે જાવેદ'માં લખ્યું છે કે પયગંબર (સ.અ)ની મસજિદુલ હરામથી મસજિદ અલ-અક્સા સુધીની રાત્રિની યાત્રા તેમનો એક મોજિઝો છે, જે આધુનિક સાધનો વિના, માનવ ક્ષમતાથી પરે, એક અજૂબો હતો.[] શિયા વિચારક મુરતદા મુતહરી (મૃત્યુ: 1358, શમ્સી)ના કથન મુજબ, આ આયતમાં સ્પષ્ટ રીતે પયગંબર માટે એક અસામાન્ય શારીરિક મુસાફરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે; કારણ કે એવા સમયમાં જ્યારે મુસાફરીનું એકમાત્ર સાધન ઊંટ હતું, એક રાત્રિમાં આવી મુસાફરી મોજિઝા સિવાય બીજું કંઈ નથી હોતું.[] જો કે, આયતુલ્લાહ મકારિમ શીરાજીનો માનવા છે કે આ આયત એકલી પોતે જ મોજિઝા હોવા પર સ્પષ્ટ નથી, પરંતુ તેની તફસીરમાં જે હદીસો અને શાને-નુઝૂલ બતાવવામાં આવ્યા છે તેની સાથે મળીને તે પયગંબર (સ.અ)ના મોજિઝામાં આવે છે.[]

મેરાજની શારીરિકતા પર આયતની સાબિતી

વ્યાખ્યાકારોએ આ આયત હેઠળ મેરાજ શારીરિક હતો કે આધ્યાત્મિક, તે વિશે ચર્ચા કરી છે. અલ્લામા તબાતબાઈ (મૃત્યુ: 1360, શમ્સી)ના કથન મુજબ, તેમાંના મોટા ભાગના માને છે કે મેરાજ શારીરિક હતી;[] જો કે, અલ્લામા પોતે માને છે કે આ આયત અને સૂર એ નજ્મની આયતો પરથી જણાય છે કે પયગંબરની મુસાફરી મસજિદુલ હરામથી મસજિદ અલ-અક્સા સુધી શારીરિક હતી, પરંતુ મસજિદ અલ-અક્સાથી આકાશો તરફનો તેમનો ચડવો આધ્યાત્મિક હતો.[૧૦] આયતુલ્લાહ મકારિમ શીરાજીના કથન મુજબ, "બિ-અબ્દિહી" (તેના બંદા સાથે) શબ્દ પરથી જણાય છે કે મેરાજ શારીરિક હતી, કારણ કે આ શબ્દ દર્શાવે છે કે આ મુસાફરીમાં પયગંબરનું શરીર તેમની સાથે હતું.[૧૧] તેમજ જાફર સુબ્હાનીએ કહ્યું છે કે જો આ મુસાફરી આધ્યાત્મિક હોત તો "બિ-અબ્દિહી" શબ્દની જગ્યાએ "બિ-રૂહિહી" (તેની આત્મા સાથે) શબ્દનો ઉપયોગ થાત.[૧૨] પયગંબરના મેરાજનો ઉદ્દેશ્ય સમજાવવો વ્યાખ્યાકારોના કથન અનુસાર, "લિનુરિયહુ મિન આયાતિના" (તેને અમારી નિશાનીઓમાંથી કંઈક બતાવવા માટે) શબ્દસમૂહ મેરાજના ઉદ્દેશ્ય તરફ ઇશારો કરે છે.[૧૩] મેરાજનો ઉદ્દેશ્ય પયગંબર (સ.અ)ને અલ્લાહની નિશાનીઓની મહાનતા બતાવવાનો હતો, જેથી તેમની આત્મા મહાન બને અને માનવજાતના માર્ગદર્શન માટે વધુ તૈયાર થાય.[૧૪] તબરસી તેમની તફસીર 'મજમઉલ બયાન'માં મક્કાથી બૈતુલ મુકદ્દસ સુધી પયગંબરની રાત્રિની યાત્રા, આકાશો તરફ ચડવું અને પયગંબરોને જોવાનો આમાં સમાવેશ કરે છે.[૧૫] તેમજ આયતમાં "મિન" શબ્દ પરથી અર્થ લઈ શકાય છે કે આ મુસાફરીમાં પયગંબરે ઇશ્વરી મહાનતાની નિશાનીઓમાંથી થોડાક જ જોયા હતા, તે બધી જ નહીં.[૧૬]


ફુટનોટ

  1. મુઅસ્સિસાએ દાઇરતુલ મઆરિફે ફિકહે ઇસ્લામી, ફરહંગે ફિકહે ફારસી, 1385 હિજરી શમ્સી, ભાગ 1, પૃષ્ઠ 179.
  2. તબરસી, મજમઉલ બયાન, 1415 હિજરી કમરી, ભાગ 6, પૃષ્ઠ 215.
  3. તબરસી, મજમઉલ બયાન, 1415 હિજરી કમરી, ભાગ 6, પૃષ્ઠ 215.
  4. ઉદાહરણ માટે જુઓ: તબાતબાઈ, અલ-મીઝાન, ઇસ્માઈલિયાન, ભાગ 13, પૃષ્ઠ ૭-35.
  5. સુબ્હાની, મંશૂરે જાવેદ, 1390 હિજરી શમ્સી, ભાગ 7, પૃષ્ઠ 216-217.
  6. સુબ્હાની, મંશૂરે જાવેદ, 1390 હિજરી શમ્સી, ભાગ 7, પૃષ્ઠ 216.
  7. મુતહરી, મજમૂઅએ આસારે ઉસ્તાદ શહીદ મુતહરી, 1384 હિજરી શમ્સી, ભાગ 26, પૃષ્ઠ 200.
  8. મકારિમ શીરાજી, પયામે કુરઆન, 1386 હિજરી શમ્સી, ભાગ 8, પૃષ્ઠ 343-344.
  9. તબાતબાઈ, અલ-મીઝાન, ઇસ્માઈલિયાન, ભાગ 13, પૃષ્ઠ 32.
  10. તબાતબાઈ, અલ-મીઝાન, ઇસ્માઈલિયાન, ભાગ 13, પૃષ્ઠ 32.
  11. મકારિમ શીરાજી, તફસીરે નમૂના, 1374 હિજરી શમ્સી, ભાગ 12, પૃષ્ઠ 9.
  12. સુબ્હાની, ફુરોગે અબદિય્યત, 1385 હિજરી શમ્સી, પૃષ્ઠ 370.
  13. તબાતબાઈ, અલ-મીઝાન, ઇસ્માઈલિયાન, ભાગ 13, પૃષ્ઠ 7.
  14. મકારિમ શીરાજી, તફસીરે નમૂના, 1374 હિજરી શમ્સી, ભાગ 12, પૃષ્ઠ 9-11.
  15. તબરસી, મજમઉલ બયાન, 1415 હિજરી કમરી, ભાગ 6, પૃષ્ઠ 218.
  16. તબાતબાઈ, અલ-મીઝાન, ઇસ્માઈલિયાન, ભાગ 13, પૃષ્ઠ 7; મકારિમ શીરાજી, તફસીરે નમૂના, 1374 હિજરી શમ્સી, ભાગ 12, પૃષ્ઠ 9-11.

સ્રોતો

  • સુબ્હાની, જાફર. ફુરોગે અબદિય્યત. કુમ: બુસ્તાને કિતાબ, 1385 હિજરી શમ્સી.
  • સુબ્હાની, જાફર. મંશૂરે જાવેદ. કુમ: મુઅસ્સિસાએ ઇમામ સાદિક (અ.સ.), 1390 હિજરી શમ્સી.
  • તબાતબાઈ, સૈયદ મોહમ્મદ હુસૈન. અલ-મીઝાન ફી તફસીર અલ-કુરઆન. ઇસ્માઈલિયાન, તારીખ વગર.
  • તબરસી, ફઝલ બિન હસન. મજમઉલ બયાન ફી તફસીર અલ-કુરઆન. બેરુત: મુઅસ્સિસતુલ આલમી, 1415 હિજરી કમરી.
  • મુઅસ્સિસએ દાઇરાતુલ મઆરિફે ફિકહે ઇસ્લામી. ફરહંગે ફિકહે ફારસી. કુમ: મુઅસ્સિસએ દાઇરાતુલ મઆરિફે ફિકહે ઇસ્લામી, બીજી આવૃત્તિ, 1385 હિજરી શમ્સી.
  • મુતહરી, મુરતઝા. મજમુઆએ આસારે ઉસ્તાદે શહીદ મુતહરી. તેહરાન: ઇન્તેશારાતે સદરા, સાતમી આવૃત્તિ, 1384 હિજરી શમ્સી.
  • મકારિમ શીરાજી, નાસિર. પયામે કુરઆન. તેહરાન: દારુલ કુતુબિલ ઇસ્લામિયા, નવમી આવૃત્તિ, 1386 હિજરી શમ્સી.
  • મકારિમ શીરાજી, નાસિર. તરજુમએ કુરઆને કરીમ. કુમ: ઇન્તેશારાતે દારુલ કુરઆનિલ કરીમ, બીજી આવૃત્તિ, 1373 હિજરી શમ્સી.
  • મકારિમ શીરાજી, નાસિર. તફસીરે નમૂના. તેહરાન: દારુલ કુતુબિલ ઇસ્લામિયા, 32મી આવૃત્તિ, 1374 હિજરી શમ્સી.